Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ઉત્કર્ષ યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને કરાયું સાડીનું વિતરણ

12મી મેના રોજ ભરૂચના દૂધ ધારા ડેરી ખાતે ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

અંકલેશ્વર: ઉત્કર્ષ યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને કરાયું સાડીનું વિતરણ
X

ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત યોજાનાર ઉત્કર્ષ સમારોહ નિમિત્તે અંકલેશ્વર ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું તારીખ-12મી મેના રોજ ભરૂચના દૂધ ધારા ડેરી ખાતે ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે.કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવવાના છે...

અંકલેશ્વરના વોર્ડ નંબર-9માં આવેલ પૂર્વ પ્રમુખ પુષ્પાબેન મકવાણાના નિવાસ્થાને પૂર્વ મંત્રીના ઈશ્વરસિંહ પટેલના હસ્તે લાભાર્થી મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાડી વિતરણ કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story