Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પરશુરામ જયંતિ નિમિત્તે GIDC વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નિકળી, બ્રહ્મ સંમેલનનું પણ આયોજન

ભવ્ય શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી પણ યોજાય હતી

X

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અંકલેશ્વર GIDC તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. 22 એપ્રિલના રોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અંકલેશ્વર GIDC તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી પણ યોજાય હતી.

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ નવજીવન ગ્રાઉન્ડ ગટ્ટુ ચોકડી ખાતેથી દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડો. સુનિલ ભટ્ટ તથા અન્ય મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. શોભાયાત્રામાં આશરે 200 જેટલી મહિલાઓએ ટુ-વ્હીલર ઉપર ભાગ લીધો હતો, જ્યારે અન્ય 200 જેટલા વાહનો શોભાયાત્રામાં જોડાયા હતા, ત્યારે જય જય પરશુરામમાં નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ આ શોભાયાત્રાનું અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ બ્રહ્મ સંમેલન યોજાયું હતું. જેમાં સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપનાર 17 આગેવાનોને બ્રહ્મરત્ન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા, જ્યારે સમાજની બહેનો અને બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અંકલેશ્વર GIDCના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, આગેવાન લલિત શર્મા, પ્રવીણ તેરૈયા, હરીશ જોશી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશભાઈ પારિક, મહામંત્રી કે.આર.જોશી, સંદીપ શર્મા તથા બજરંગ સારશ્વત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story