અંકલેશ્વર: GIDCમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 3.84 લાખના માલમત્તાની ચોરી
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરો રૂ. 3.84 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
BY Connect Gujarat Desk17 April 2023 9:37 AM GMT
X
Connect Gujarat Desk17 April 2023 9:37 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરો રૂ. 3.84 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાકટરનું કામ કરતા દિલીપસિંહ લાલજીભાઈ ચાવડાના બંધ મકાનના પહેલા માળે આવેલ હોલનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં લાકડાના કબાટનો દરવાજો તોડી કબાટમાં મુકેલ સોનાનો મંગળ સૂત્ર, સોનાનો હાર, સોનાની વીંટીઓ, બુટ્ટી સહિત 3,84,420 ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઈ જતા ભારે ભળભળાટ મચ્યો હતો. દિલીપભાઈને પોતાના મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા જ તેઓએ સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story