Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રેલ્વેની સાઇટ પરથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝબ્બે

અંકલેશ્વરમાં રેલ્વે બ્રિજની સાઇટ પરથી સામાન ચોરી થવાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે

અંકલેશ્વર : રેલ્વેની સાઇટ પરથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝબ્બે
X

અંકલેશ્વરમાં રેલ્વે બ્રિજની સાઇટ પરથી સામાન ચોરી થવાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. ચોરી થયેલી લોખંડની પ્લેટ બે મોબાઈલ અને ટેમ્પો સહિત ૬ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરાય છે.

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ દિવસે અને દિવસે વધી રહ્યા છે ત્યારે તેને અંકુશમાં લેવા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ પોલીસ સ્ટેશનોમાં સુચના આપી છે. આ દરમિયાન અંકલેશ્વરમાં રેલ્વે બ્રિજની સાઇટ પર થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ટીમો કામે લાગી હતી. જેમાં ચોરીમાં ગયેલો સામાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે જુબેરનગરમાં આવેલ ભંગારની દુકાનમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે છાપો મારવામાં આવતાં ભંગારની દુકાનમાંથી સુનિલ છોટેલાલ નારાયણ તથા અજયપાલસિંગ મળી આવ્યાં હતાં. દુકાનમાંથી પોલીસે ચોરાયેલી લોખંડની પ્લેટો મળી આવી હતી. પોલીસે બંનેની ટેમ્પો, લોખંડની પ્લેટો સહિત કુલ 6 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story