ભરૂચ : જંબુસરના નાગેશ્વર તળાવમાં પગ લપસતાં 3 બાળકો ડૂબ્યા, એક બાળકનું મોત...

જિલ્લાના જંબુસર નગરના નાગેશ્વર તળાવ કિનારે ઉભેલા 3 બાળકોના પગ લપસતાં તળાવમાં ડૂબતા સ્થાનિક તરવૈયાઓએ 2 બાળકોને બચાવી લીધા હતા,

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના નાગેશ્વર તળાવ કિનારે ઉભેલા 3 બાળકોના પગ લપસતાં તળાવમાં ડૂબતા સ્થાનિક તરવૈયાઓએ 2 બાળકોને બચાવી લીધા હતા, જ્યારે ડૂબી ગયેલા એક બાળકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisment

મળતી માહિતી અનુસાર, જંબુસર નગરની વચ્ચે આવેલા નાગેશ્વર તળાવની પાળ ઉપર પઠાણી ભાગોળ વિસ્તારના 3 બાળકો ઉભા હતા. તે દરમ્યાન પગ લપસતા 3બાળકો તળાવમાં ડૂબ્યા હતા, બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક લોકો તળાવ ખાતે દોડી આવ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ડૂબતા 3 બાળકો પૈકી 2 બાળકોને બચાવી લીધા હતા, જ્યારે પઠાણી ભાગોળમાં રહેતા અબ્દુર રહેમાન અનીશ શેખ નામના બાળકનો પત્તો નહીં લાગતાં તેની શોધખોળ કરવામાં આવી હતી, ત્યારે ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયા તથા ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં શોધખોળ આદરી અબ્દુલ રહેમાન શેખના મૃતદેહને શોધી કાઢ્યો હતો. એક બાળકનું મોત નિપજતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ જંબુસર પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment