Connect Gujarat
ભરૂચ

ભરૂચ:શ્રાવણ માસના પ્રથમ સોમવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની લાંબી કતાર જોવા મળી

ભરૂચમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી

X

ભરૂચમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી

શ્રાવણમાસના સોમવારની ધર્મ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરાઇ રહી છે. શિવભકતો માટે શ્રાવણ માસના દરેક સોમવારે સવિશેષ મહાત્મ્ય ધરાવતા માનવામાં આવતા હોય આજે સવારથી જ ભરૂચના ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં ભકતો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.શિવલીંગ પર ધતુરા, શણ, ચંદન,ચોખા, જલાભિષેક, બીલીપત્ર અભિષેક,પંચામૃત અને દુગ્ધાભિષેક કરી આરાધ્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Next Story