Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સમસ્ત ખ્રિસ્તી સમાજ, ગુજરાત દ્વારા સંગઠન બેઠક યોજાય, વિવિધ મુદ્દે કરાય ચર્ચા

આધ્યાત્મિક કેન્દ્ર ખાતે સમસ્ત ખ્રિસ્તી સમાજ, ગુજરાત દ્વારા સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના બંબાખાના-વેજલપુર વિસ્તાર સ્થિત જીવન આધ્યાત્મિક કેન્દ્ર ખાતે સમસ્ત ખ્રિસ્તી સમાજ, ગુજરાત દ્વારા સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમસ્ત ખ્રિસ્તી સમાજ, ગુજરાત સંગઠન દ્વારા ભરૂચ શહેરના બંબાખાના-વેજલપુર વિસ્તારમાં આવેલ જીવન અધ્યાત્મિક કેન્દ્ર ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લા ખ્રિસ્તી સમાજના આગેવાનો અને સભ્યોની સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોના પડતર પ્રશ્નો, સમાજના લોકોને પડતી મુશ્કેલી અને જરૂરિયાતો, સમાજના લોકોને એકજુથ કરી જાગૃતિ લાવવી, સરકારના નીતિ નિયમોને આધીન યોગ્ય સ્થળે ચર્ચ બાંધવા તેમજ કેટલાક લોકો દ્વારા ચર્ચ તોડી પાડવાના બનાવો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન સમસ્ત ખ્રિસ્તી સમાજના પ્રમુખ મુકેશ ભગત, ઉપપ્રમુખ સંદીપ રજવાડી, ગુજરાત હાઇકોર્ટના વકીલ સંજય એલિયાસ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મંચના ચેરમેન ટી. ઓનકાર, એડ્વોકેટ હરિસિંગ વસાવા સની સંગઠન મંત્રી દિપક ગામિત સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story