ભરૂચ: અંકલેશ્વર જીઆઈડીસીની ડ્રાયોનેટ કંપનીમાં ગેસ સિલિન્ડર નીચે દબાય જતા કામદારનું મોત
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ ડ્રાયોનેટ કંપની નાઇટ્રોજન ગેસના સિલિન્ડર સપ્લાયનું કામ કરે છે.
BY Connect Gujarat15 Jan 2022 7:12 AM GMT
X
Connect Gujarat15 Jan 2022 7:12 AM GMT
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ ડ્રાયોનેટ કંપની નાઇટ્રોજન ગેસના સિલિન્ડર સપ્લાયનું કામ કરે છે. ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ કંપનીમાં ટેમ્પામાંથી ગેસના સિલિન્ડર નીચે ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું આ દરમ્યાન ગેસ સિલિન્ડર નીચે પડતાં નજીકમાં કામ કરી રહેલ 48 વર્ષીય મુકેશ પટેલ|(રહે. શ્રધ્ધેય સોસાયટી,કોલેજ રોડ ભરૂચ) નામના કામદારને ઇજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમ્યાન તારીખ 14 જાન્યુઆરીના રોજ તેનું મોત નીપજયું હતું. બનાવ અંગેની તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે
Next Story