ભરૂચ : શહેરી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસ ગુમાવી રહયું છે પકડ, જુઓ પરિણામોનું વિશ્લેષણ

ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે.

New Update
ભરૂચ : શહેરી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસ ગુમાવી રહયું છે પકડ, જુઓ પરિણામોનું વિશ્લેષણ

ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે.

ભરૂચ જિલ્લામાં શહેરી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસના પંજાની પકડ ઢીલી પડી રહી છે. થોડા મહિનાઓ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસ અને બીટીપીનું ધોવાણ થયું હતું. ભાજપે મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનો વિજય પરચમ લહેરાયો હતો. ભાજપના આ વિજયનો સીલસીલો પેટાચુંટણીઓમાં પણ યથાવત રહયો છે. ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક ભાજપે જાળવી રાખી છે. આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં કોંગ્રેસ નિષ્ફળ રહયું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ નિકોરા બેઠકના પરિણામ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ભરૂચ નગરપાલિકાની પેટાચુંટણીમાં પણ કોંગ્રેસને ફટકો પડયો છે. વોર્ડ નંબર -10ની એક બેઠકની પેટાચુંટણીમાં એઆઇએમઆઇએમએ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. વોર્ડ નંબર 10ને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. થોડા મહિના પહેલાં યોજાયેલી ચુંટણીમાં વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ તુટી હતી અને એક બેઠક એઆઇએમઆઇએમના ફાળે ગઇ હતી. હવે પેટાચુંટણીમાં પણ એઆઇએમઆઇએમએ કોંગ્રેસને ઝટકો આપ્યો છે અને આ બેઠક આંચકી લીધી છે. કોંગ્રેસના શહેર પ્રમુખ વિકકી શોખીએ જણાવ્યું હતું કે, આ પરિણામ અમારા માટે ચિંતાજનક છે અને ફરીથી લોકોની વચ્ચે જઇ તેમના પ્રશ્નોને વાચા આપીશું..

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે હવે આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસે હારના કારણોનું મનોમંથન કરી સંગઠનને મજબુત બનાવવું પડશે નહિ તો દરેક ચુંટણીઓમાં કોંગ્રેસનો રકાસ નકકી છે.ભરૂચ : શહેરી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસ ગુમાવી રહયું છે પકડ, જુઓ પરિણામોનું વિશ્લેષણ

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.