ભરૂચ : સૂર્યગ્રહણના કારણે તમામ મંદિરોના દ્વાર ભક્તો માટે રહ્યા બંધ, જાણો ક્યારે અને કેટલા વાગે મંદિર ખુલશે..!

આજે તા. 25મી ઓક્ટોબર એટલે કે, દેશ અને દુનિયામાં બપોરે 2.28 કલાકથી 6.39 કલાક સુધી આંશિક સૂર્યગ્રહણ છે.

New Update

આજે તા. 25મી ઓક્ટોબર એટલે કે, દેશ અને દુનિયામાં બપોરે 2.28 કલાકથી 6.39 કલાક સુધી આંશિક સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ ભારતના કેટલાક શહેરોમાંથી જોઈ શકાશે. ભારતમાં સૂર્ય ગ્રહણને કારણે સૂતક લાગતુ હોવાની માન્યતા છે, ત્યારે ભારતમાં આજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ હોવાથી ગુજરાતના મોટાભાગના મંદિરો બંધ રહેશે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં સૂર્યગ્રહણના કારણે ભક્તો માટે મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર, શક્તિનાથ મહાદેવ મંદિર, અંબાજી મંદિર, ભૃગુરૂષિ મંદીર સહિતના વિવિધ દેવાલયો દ્વાર ભક્તો માટે બંધ રહ્યા હતા.

ક્યારે લાગશે સૂતક ?

સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે, એટલે ભારતમાં 25 ઓક્ટોબરે સવારે 4 વાગ્યે સૂતક લાગશે, જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે સૂતક પણ પૂર્ણ થઈ જશે. સૂતક દરમિયાન તમામ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવામાં આવશે. જેથી મંદિરો બંધ રહેશે અને ગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરોનું શુદ્ધિકરણ કર્યા બાદ મંદિરોમાં દર્શન કરી શકાશે.

સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ...

ઉલ્લેખનીય છે કે, આ સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાયો છે, ત્યારે તા. 24 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી અને 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા થશે. આમ દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે સૂર્યગ્રહણનો યોગ છે. આ દરમિયાન 1300 વર્ષ બાદ 4 ગ્રહોનો દુર્લભ યોગ રચાયો છે. જેમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ પોત-પોતાની રાશિમાં હશે. આ દુર્લભ યોગને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અતિ મહત્વનો માનવામાં આવે છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories