ભરૂચ : ICAIના ઉપક્રમે નવા ચાર્ટડ એકાઉટન્ટનો સત્કાર સમારંભ યોજાયો
ICAIની ભરૂચ બ્રાન્ચના સભાખંડમાં સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવા કવોલીફાઇડ ચાર્ટડ એકાઉટન્ટને સન્માનિત કરવામાં આવ્યાં
ભરૂચ બ્રાન્ચ ઓફ ICAI ખાતે નવા કવોલીફાઇડ થયેલાં ચાર્ટડ એકાઉટન્ટનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થા તરફથી તેમને સન્માનિત કરાયાં હતાં.
ICAIની ભરૂચ બ્રાન્ચના સભાખંડમાં સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવા કવોલીફાઇડ ચાર્ટડ એકાઉટન્ટને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ડિસેમ્બર ૨૦૨૦, જાન્યુઆરી ૨૦૨૧ તેમજ જુલાઇ ૨૦૨૧ માં ફાઇનલ સીએની પરીક્ષામાં પાસ થનારા સીએના કોર્સના વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં બ્રાન્ચના ચેરમેન સીએ અક્ષર મહેતા, ભુતપુર્વ ચેરમેન સીએ સાગરમલ પારીક, સીએ નિરજ સુરતી, સીએ સંજય યાજ્ઞિક, સીએ પ્રશિત પારીખ, સીએ ભાવેશ હરિયાણી, સીએ મહાવીર જૈન, સીએ હર્ષિત શાહ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
ચાર્ટડ એકાઉટન્ટની પદવી મેળવનારા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભુતપુર્વ ચેરમેનો તરફથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં વાઇસ-ચેરમેન સીએ ઋુષિ ગાંઘી, સેક્રેટરી સીએ પીનલ મોદી અને સીએ વિન્દ્રા વખારીયાએ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓએ પણ સંસ્થા તરફથી કરવામાં આવેલાં સન્માનથી ખુશી વ્યકત કરી હતી.