ભરૂચ : ઝઘડીયાના ધરોલી ગામે 8 નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું...
સમગ્ર ગુજરાતમાં માસૂમ કન્યાઓ સુરક્ષિત નથી તેમ એક બાદ એક દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં માસૂમ કન્યાઓ સુરક્ષિત નથી તેમ એક બાદ એક દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે. ગ્રીષ્માની કરપીણ હત્યાના આઘાતની કળ વળી નથી, ત્યારે સગીરા પર સામુહિક બળાત્કારના કિસ્સો બહાર આવતા ગુજરાત હચમચી ઉઠ્યું છે.
સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પીસાચે માસૂમ ગ્રીષ્માનું સરેઆમ લોકોની સામે જ ગળું રહેંસી નાખી કરપીણ હત્યા કરવાના બનાવે ગુજરાતને ધ્રુજાવી મૂક્યું છે. જેમાં ગુજરાતને હજી કળ વળી નથી, ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે 8 જેટલા નરાધમોએ એક માસૂમ સગીરા પર સામુહિક દુષ્કર્મ ગુજારવાની ઘટનાએ વધુ એક આઘાત આપ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઝઘડીયાના ધારોલી ગામે 16 વર્ષીય સગીરા ગત તા. 16 ફેબ્રુઆરીના રોજ ગામમાં જ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવ ગઈ હતી, જ્યાં ગામના જ એક યુવકે તેને પટાવી ફોસલાવી રૂપિયા આપવાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી ફરવા લઈ ગયો હતો. વિશાલે સગીરાને અંધારામાં જ ગામની સીમમાં એક ખેતરમાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો. હવસખોર યુવકે આટલેથી અટક્યો ન હતો. બેરહેમી પૂર્વક સગીરાને પિંખી નાખ્યા બાદ તેના મિત્રોને પણ બોલાવ્યા હતા, ત્યારે તેના અન્ય 7 મિત્રોએ પણ એક બાદ એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ તેના ઘરે જઈ પરિવારજનોને આ મામલાની જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પરિવાર હતભ્રત બની ગયો હતો. સમગ્ર મામલે સગીરાની બહેને ઝઘડીયા પોલીસ મથકે 8 નરાધમો વિરુદ્ધ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આઠેય દુષ્કર્મીઓને વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.