ભરૂચ : દિવાળીમાં એસટી બસોમાં મુસાફરોનો રહયો ધસારો, 1.41 કરોડ રૂા.ની આવક

મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ તરફથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી

New Update

કોરોનાની મહામારી ઓછી થયા બાદ દિવાળીના તહેવારો એસટી નિગમના ભરૂચ ડીવીઝનને પણ ફળ્યાં છે......

Advertisment W3.CSS

દિવાળીમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ધસારો રહયો હતો. મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ તરફથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. એસટી નિગમના આ પ્રયાસને મુસાફરો ઉમળકાભેર આવકાર્યો હોય તેમ એક જ દિવસમાં 90 હજાર ટીકીટ બુક કરાવવામાં આવી... ગત વર્ષે આ સંખ્યા 74 હજારની આસપાસ રહી હતી..કોરોનાનું સંક્રમણ ઓછું થવા સાથે રસીકરણ પણ 100 કરોડને પાર જતાં લોકો હવે નિશ્ચિત બની ઘરોની બહાર નીકળી રહયાં છે. દીવાળીમાં વતન તેમજ પ્રવાસન સ્થળોએ જતાં લોકોની સંખ્યા વધી છે. ભરૂચ ડીવીઝનની વાત કરવામાં આવે તો ડીવીઝન તરફથી રેગ્યુલર 1419 રૂટ ઉપરાંત દિવાળીના તહેવાર નિમિતે 218 એક્સ્ટ્રા રૂટ મળી કુલ સાડા પાંચ હજારથી વધુ કિલોમીટર પર બસો દોડાવવામાં આવી જેમાં ભરૂચ એસ.ટી.ડિવિઝન ને રૂ.1.41 કરોડ ની માતબર આવક થઈ છે..

Read the Next Article

ભરૂચ: કોરોનાના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ માત્ર 1 કેસ જ એક્ટિવ

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા..

New Update
  • રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો

  • એક દિવસમાં 170 નવા કેસ નોંધાયા

  • ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય

  • અત્યારસુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા

Advertisment W3.CSS
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સામે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજયમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં કોરોનાના  717 એક્ટિવ કેસ છે અને  23 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય જણાય રહી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.
આ તરફ ભરૂચ આરોગ્ય વિભાગ પણ સજજ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાના પોઝિટિવ કેસોની સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટરની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.