ભરૂચ: વાગરામાં કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

વાગરાના અરગામા ગામના સરપંચ,ઉપસરપંચ સહિતના કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરીયો ધારણ કરતા રાજકારણ ગરમાયું

New Update

વાગરા વિધાનસભામાં ભાજપ વધુ મજબૂત બનવા સતત પ્રયાસ કરી રહ્યુ છે.અંગારેશ્વર,સુવા ગામના કોંગ્રેસી આગેવાનોએ થોડા સમય પહેલા ભાજપનો ખેસ પહેરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો ત્યા જ વાગરાના અરગામા ગામના સરપંચ,ઉપસરપંચ સહિતના કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરીયો ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આ અગાઉ પણ કોંગ્રેસનાં અનેક નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાય ચૂક્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories