Connect Gujarat
ભરૂચ

ગુરુહરિ પરમપૂજ્ય પ્રબોદ્ધ જીવન સ્વામિનુ ભરૂચ જિલ્લાના જંબુસરના ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

જંબુસર આત્મીય સત્સંગ મંડળ અગ્રણી કિશોરભાઇ જડીયા મકનજી પટેલ શામળભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહી સ્વામીશ્રીનું ડાભા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું

ગુરુહરિ પરમપૂજ્ય પ્રબોદ્ધ જીવન સ્વામિનુ ભરૂચ જિલ્લાના જંબુસરના ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
X

ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના જ્યોતિર્ધર ગુરુહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદથી આજરોજ જંબુસર ખાતે આત્મીય સ્નેહ મિલન ગુરુહરિ પરમપૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં નવયુગ વિદ્યાલય ખાતે યોજાનાર છે.જે અંતર્ગત આજે સવારે પરમપૂજ્ય પ્રબોધ જીવન સ્વામી જંબુસર ખાતે સંતો સહિત આવી પહોંચ્યાં હતા.

જંબુસર આત્મીય સત્સંગ મંડળ અગ્રણી કિશોરભાઇ જડીયા મકનજી પટેલ શામળભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહી સ્વામીશ્રીનું ડાભા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું ભક્તો દ્વારા ઠાકોરજીને ચાંદલો ફુલહાર કરી પ્રબોધ જીવંન સ્વામીને ફુલહાર કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારબાદ હરિભક્તો દ્વારા બાઈક રેલી સ્વરૂપે.. આવકારીએ...આવકારીએ ..હરિવરની કરુણાને આવકારીએ.. ભજન કિર્તન સાથે ડાભા ચોકડીથી નીકળી ડેપો સર્કલ રીંગરોડ થઇ ટંકારી ભાગોળ થી મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા.અને સ્વામીજી સંતો સાથે ટુંડજ જવા પ્રયાણ કર્યુ હતુ આજરોજ પ્રબોધ જીવન સ્વામી જંબુસર ખાતે પધરામણી કરી હોય સૌ ભક્તોમાં પણ અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો

Next Story