Connect Gujarat
ભરૂચ

ભરૂચમાં ધર્મપરિવર્તન મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસે કડકાઈથી પગલાં લીધા છે

ધર્માંતરણ કેસ મામલે તેઓએ જણાવ્યું હતું કે, ભરૂચના અમુક ગામોમાં જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું છે.

ભરૂચમાં ધર્મપરિવર્તન મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસે કડકાઈથી પગલાં લીધા છે
X

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાના સોખડાની મુલાકાતે છે. ધર્માંતરણ કેસ મામલે તેઓએ જણાવ્યું હતું કે, ભરૂચના અમુક ગામોમાં જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આફમી ટ્રસ્ટે ધર્મ પરિવર્તન માટે રૂપિયા મોકલ્યા હતા. આ પ્રકારનું ષડયંત્ર રચનારા કોઈ પણ શખ્સને કાયદાની છટકબારી નહીં મળે તેવો વિશ્વાસ અપાવું છું. મજબૂતાઈથી રાજ્ય પોલીસ, ભરૂચ પોલીસે કડકાઈ પૂર્વક પગલાં લીધા છે. જાણકારી અને પુરાવા મળ્યા તે જ સમયે કેસ દાખલ કર્યો છે.

તેઓએ નવસારીની વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે જણાવ્યું હતું કે, પીડિત યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ. આરોપીઓને શોધવા જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે તેટલી આપીશું. ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી, તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે. પીડિતા યુવતીને ટુંક સમયમાં ન્યાય અપાવીશ. સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસે 500થી વધુ સીસીટીવી ફૂટેજ, હજારો મોબાઈલ સર્વેલન્સના આધારે ગુનો ઉકેલવા પ્રયાસો કર્યાં છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, રાજ્યની દરિયાઈ બોર્ડર સંપૂર્ણ સુરક્ષિત એટલે જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ સમજી લે, પોતાના પરિવાર સાથે નહીં રહી શકે તેવું સ્વાગત કરવા ગુજરાત પોલીસે તૈયારી કરી છે.

Next Story