ઝઘડીયા : ઉમલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા આંબાખાડીની સગર્ભાને રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવાઇ

આંબાખાડી ગામની ફુલવંતીબેન શૈલેસભાઈ વસાવાને પ્રસુતિની પીડા ઉપડતા તેઓના પરિવાર જન દ્વારા ૧૦૮ એબ્યુલન્સ ફોન કરી જાણ કરેલ

New Update

ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામની ફુલવંતીબેન શૈલેસભાઈ વસાવાને પ્રસુતિની પીડા ઉપડતા તેઓના પરિવાર જન દ્વારા ૧૦૮ એબ્યુલન્સ ફોન કરી જાણ કરેલ અને થોડીક જ વારમા ઉમલ્લા ૧૦૮ના પાયલોટ નિર્મળસિંહ અને ઈ એમ ટી હિના બેને આંબા ખાડી પહોચી ગયા હતા.

Advertisment

આંબાખાડી ગામની ફુલવંતીબેન શૈલેસભાઈ વસાવાને પ્રસુતિની પીડા ઉપાડતા તેઓ આંબાખાડી થી અવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને જઈ રહયા હતા તે સમયે રાજપારડી પાસે સગર્ભાને અસહ્ય પ્રસુતિ પીડા ઉપડતા ઈ એમ ટી હિના બેને પાયલોટ નિર્મળસિંહને કહી એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રખાવી કીટ તૈયાર કરી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડીજ ક્ષણોમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી કરાવી હતી. સગર્ભાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને જરૂરી સારવાર આપી માતા અને બાળકીને અવિધા સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વિશ્વાસઘાતના ગુનામાં 5 વર્ષથી ફરાર મહિલા આરોપીની દાહોદથી કરી ધરપકડ

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના પોલીસકર્મીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે દાહોદના ગરબાડા ખાતે તપાસમા ગયા હતા. તે દરમ્યાન

New Update
IMG-20250604-WA0039

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના પોલીસકર્મીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે દાહોદના ગરબાડા ખાતે તપાસમા ગયા હતા.

તે દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર શહેર "એ"ડીવી.પોલીસ મથકના ગુનાની મહિલા આરોપી
લીલાબેન ઉર્ફે મિન્દીબે સુરેશભાઇ ઉર્ફે સુકિયાભાઇ દેહદા રહે.દેવધા,નિશાળ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદનાને ઝડપી પાડવામાં આવી હતી.પોલીસે મહિલા આરોપીને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલા આરોપી છેલ્લા 5 વર્ષથી વિશ્વાસઘાતના ગુનામાં ફરાર હતી જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Advertisment
Advertisment
Latest Stories