Connect Gujarat
Featured

ઓગષ્ટ મહિનાના તમામ તહેવારો પર “કોરોના”એ લગાવી બ્રેક, વાંચો ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કરી જાહેરાત

ઓગષ્ટ મહિનાના તમામ તહેવારો પર “કોરોના”એ લગાવી બ્રેક, વાંચો ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કરી જાહેરાત
X

શ્રાવણ મહીનામાં હીંદુ સમાજના તહેવારોની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક મહત્વની જાહેરાત કરી છે. ઓગષ્ટ મહીનામાં આવતાં તમામ તહેવારોની ઉજવણી પણ આંશિક રોક લગાવી દેવામાં આવી છે. રાજયમાં સામુહિક રીતે તહેવારો ઉજવીી શકાશે નહિ અને આ સંદર્ભમાં ટુંક સમયમાં જાહેરનામુ બહાર પાડવામાં આવશે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે લોકો સોશિયલ ડીસ્ટન્સ જાળવે તે ખુબ જરૂરી છે. ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમી સહિતના અનેક તહેવારો આવી રહયાં છે જેના કારણે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ શકે છે. આવા સંજોગોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે છે. આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ, તાજીયા સહિતના તહેવારો ઉજવવામાં ન આવે તેવી રજુઆતો સરકારને મળી હતી.આ સાથે રાજ્ય સરકારનું પણ માનવું છે કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે પરંતુ કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજીયાના પણ ઝુલુસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટુંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત શોભાયાત્રા, મેળાઓ તેમજ પગપાળા યાત્રા ઉપર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. રાજ્યમાં દર વર્ષે ભરાતો તરણેતર, રામાપીર, ભાદરવી પુનમ, શ્રાવણી અમાસ તથા જન્માષ્ટમીના યોજાશે નહિમેળાઓમેળાઓ યોજાશે નહિ

Next Story