Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 1110 કેસ નોધાયા, 1236 દર્દીઓ થયા સ્વસ્થ

કોવિડ-19 :  રાજ્યમાં આજે કોરોનાના 1110 કેસ નોધાયા, 1236 દર્દીઓ થયા સ્વસ્થ
X

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 1110 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોનાના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4193 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,29,913 પર પહોંચી છે.

રાજ્યમાં હાલ 12881 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,12,839 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12820 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 1110 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 232, સુરત કોર્પોરેશનમાં 141, વડોદરા કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, મહેસાણા 44, વડોદરા 42, કચ્છ 35, ગાંધનીગર- 30, સુરત 26, રાજકોટ-25, અમરેલી 23, ખેડા 23, ભરૂચ 22, પંચમહાલ 22, ગાંધીનગર કોર્પોરેશન 21 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 11 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 2 અને મહેસાણામાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1236 દર્દી સાજા થયા હતા અને 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 87,80,266 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.57 ટકા છે.

Next Story