Connect Gujarat
સમાચાર

Covid -19 : ગુજરાત રાજ્યમાં આજે વધુ 1381 નવા કેસ નોધાયા,11 દર્દીના મોત

Covid -19 : ગુજરાત રાજ્યમાં આજે વધુ 1381 નવા કેસ નોધાયા,11 દર્દીના મોત
X

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1381 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. અને આજે વધુ 11 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે 1383 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,36,004 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3442 થયો છે.

રાજ્યમાં આજે 11 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશન 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1381 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 179, અમદાવાદ કોર્પોરેશનમાં 176, સુરતમાં 132, રાજકોટ કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 90, જામનગર કોર્પોરેશનમાં 69, રાજકોટ 44, બનાસકાંઠા 39, વડોદરા 39, મહેસાણામાં 34, પાટણ 34, ભરૂચ 29, સુરેન્દ્રનગર 27, અમરેલી 24, કચ્છમાં 24, પંચમહાલ 23, ભાવનગર 22, જામનગર 22, ગાંધીનગર કોર્પોરેશન 21, તાપી 21, અમદાવાદમાં 19 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં હાલ 16,703 એક્ટિવ કેસ છે, જ્યારે 1,15,859 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,614 લોકો સ્ટેબલ છે રાજ્યમાં સાજા થવાનો દર 85.19 ટકા છે.

Next Story