Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : આમોદ સ્થિત ગાયત્રી મંદિરનો 22મો પાટોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન...

વિશ્વ શાંતિ તેમજ 21મી સદીના ઉજ્જવળ ભવિષ્ય માટે આમોદ ગાયત્રી પરિવાર દ્વારા 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : આમોદ સ્થિત ગાયત્રી મંદિરનો 22મો પાટોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન...
X

ભરૂચ જિલ્લાના આમોદમાં આવેલા કાછીયાવાડ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંદિરના 22માં પાટોત્સવ નિમિત્તે 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયત્રી પરિવારના બહેનોએ વેદ ઋચાઓ સાથે મહાયજ્ઞનું સંચાલન કર્યું હતું. વિશ્વ શાંતિ તેમજ 21મી સદીના ઉજ્જવળ ભવિષ્ય માટે આમોદ ગાયત્રી પરિવાર દ્વારા 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞ દરમ્યાન હિન્દુ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનમાં આવતા 16 સંસ્કારોની પણ જાણકારી આપવામાં આવી હતી. તેમજ બાળકના ગર્ભાધાન સંસ્કાર, નામકરણ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર વગેરનું પણ સિંચન કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવાર તરફથી યોજાયેલા મહાયજ્ઞમાં અનેક નવદંપતિ સહિત આવેલા મહેમાનોએ પૂજન તેમજ આહુતિ સહિત પ્રસાદનો લાભ લીધો હતો.

Next Story