Home > અન્ય > ધર્મ દર્શન > ગીર સોમનાથ: મોરારીબાપુની સૌથી અનોખી રામકથાની સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂર્ણાહુતિ
ગીર સોમનાથ: મોરારીબાપુની સૌથી અનોખી રામકથાની સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂર્ણાહુતિ
પૂજ્ય બાપુનુ ઢોલ-નગારા અને ભુદેવોના મંત્રોચ્ચાર સાથે સોમનાથમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
BY Connect Gujarat Desk7 Aug 2023 11:26 AM GMT
X
Connect Gujarat Desk7 Aug 2023 11:26 AM GMT
સુપ્રસીધ્ધ કથાકાર મોરારીબાપુ આજરોજ બાર જ્યોતિર્લિંગમા પ્રથમ સોમનાથ મહાદેવ પહોચ્યા છે સોમનાથ મહાદેવના દર્શન બાદ તેઓએ ચોપાટી મેદાન ખાતે કથાનુ રસપાન કરાવ્યુ હતું બાર જ્યોતિર્લિંગ રેલકથાના આયોજન અંતર્ગત આજરોજ પૂ.મોરારાબાપુ તેમના 1008 કથા યાત્રીકો સાથે સોમનાથ મહાદેવ પહોચ્યા હતા.પૂ.મોરારી બાપુ દ્વાદશ જ્યોતિર્લિંગમાં રામકથા કરવા નિકળ્યા છે.જ્યારે આજરોજ કથાની પુર્ણાહુતિ સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. બાપુ સૌ ભક્તો સાથે રેલ્વે દ્વારા વેરાવળ પહોચ્યા ત્યાથી સોમનાથ આવેલા હતા. પૂજ્ય બાપુનુ ઢોલ-નગારા અને ભુદેવોના મંત્રોચ્ચાર સાથે સોમનાથમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે મોરારી બાપુ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું
Next Story