Connect Gujarat
ધર્મ દર્શન 

ચોટીલા ચામુંડા માતાનું મંદિર દેશભક્તિના રંગે રંગાયું..! માતાજીના મંદિર પર તિરંગા કલરની ધજા લહેરાવાઇ

સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવવામાં આવી

X

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે દેશભક્તિ સાથે તિરંગાના રંગની ધજા લહેરાતા ચામુંડા માતાજી ધામમાં માતાના ભક્તો દેશભક્તિના રંગમાં રંગાયા હતા.

ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાનની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવવામાં આવી હતી. ઉપરાંત અન્ય ધજાદંડ પર દેશભક્તિ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

આજે પવિત્ર શ્રાવણ માસનો રવિવારનો હોવાથી સૌરાષ્ટ્ર સહિતના ભક્તજનો માઁના ચરણોમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે, ત્યારે ડુંગર પર તિરંગાને લહેરાતો જોઈ માઈભક્તોમાં આસ્થા સાથે રાષ્ટ્રીય ભાવનાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ ઉપરાંત ભક્તો તિરંગા સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરતા નજરે પડ્યા હતા.

Next Story