વિનાયક ચોથનાં દિવસે બની રહ્યો છે ખાસ યોગ,તો જાણો શુભ મુહૂર્ત,પૂજા વિધિ
જયેષ્ઠ વિનાયક ચોથ આવતીકાલે એટલે કે 3 જુલાઇનાં રાખવામાં આવશે, શુક્લ પક્ષમાં આવતી ગણેશ ચોથને વિનાયક ચોથ કેવામાં આવે છે.
આ વિનાયક ચોથનું વ્રત અષાઢ મહિનાની શુક્લ પક્ષની તિથી પર રાખવામાં આવે છે.જયેષ્ઠ વિનાયક ચોથ આવતીકાલે એટલે કે 3 જુલાઇનાં રાખવામાં આવશે, શુક્લ પક્ષમાં આવતી ગણેશ ચોથને વિનાયક ચોથ કેવામાં આવે છે. અને વરદ ચોથ પણ કહેવામાં આવે છે. આ વખતે વિનાયક ચોથ પર શુભ યોગ બની રહો છે,તો જણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ.
વિનાયક ચોથ શુભ મુહૂર્ત :-
અષાઢ શુક્લ ચોથનો સમય :- 02 જુલાઇ બપોર, 3 વાગ્યેને 16 મિનિટ પર
અષાઢ શુક્લ ચોથનું સમાપન :- 03 જુલાઇ, રવિવારે, સાંજે 5 વાગ્યેને 6 મિનિ સુધી
ગણેશ પૂજા કરવાનું શુભ મુહૂર્ત :- 03 જુલાઇ સવારે 11 વાગ્યાથી, બપોરે 1:45 સુધી
વિનાયક ચોથ પર થતી ગણેશ પૂજા :-
- આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને આ વ્રતની શરૂઆત કરવી
- સાફ લાલ અને પીળા કલરનું વસ્ત્ર ધારણ કરવું
- પૂજા સ્થાન પર બાજઠ અથવા પાતળા પર પીળા અને લાલ રંગનું વસ્ત્ર પથરી તેના પર ગણેશજીની મૂર્તિ અથવા ફોટો મૂકવો.
- ગણેશજીનો જળ અભિષેક કરવો
- ભગવાનને ફૂલ,માળા અને 11 અથવા 12 ગાંઠ દૂર્વા ચઢાવવો
- ભગવાન ગણેશજીને સિંદૂરનો તિલક લગાવવો
- ત્યાર પછી મોદક લાડુ,બુંદી લાડુનો ભોગ લગાવી અને આરતી કરીને પ્રસાદ વહેચવો
- આખો દિવસ ફળહાર કરીને આ વ્રત કરી પાંચમના પારણા કરવામાં આવે છે.