Connect Gujarat
મનોરંજન 

બીગ બીના ઘરે ફરી કોરોનની દસ્તક? જાણો બચ્ચને શું કહ્યું

ગત વર્ષે બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના 3 સભ્યોને કોરોનાએ સકંજામાં લીધા હતા.

બીગ બીના ઘરે ફરી કોરોનની દસ્તક? જાણો બચ્ચને શું કહ્યું
X

ગત વર્ષે બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના 3 સભ્યોને કોરોનાએ સકંજામાં લીધા હતા. લાંબા સમય સુધી સારવાર કરાવ્યા બાદ તેઓ સાજા થયા હતા અને હવે એકવાર ફરીથી અમિતાભ બચ્ચનના ઘર પર કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે તેમના બંગલાનો એક કર્મચારી કોરોના સંક્રમિત થયો છે. BMC ના એક અધિકારીએ આ જાણકારી આપી હતી .

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. અમિતાભ બચ્ચનના પરિવાર સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું કે એક્ટર તથા તેમનો પૂરો પરિવાર સુરક્ષિત છે. તમામ લોકો જલસામાં જ છે. તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ કર્મચારી સાથે બચ્ચન પરિવારનો કોઈ સીધો સંપર્ક થયો નહોતો.

જોન અબ્રાહમ, સોનુ નિગમ, અર્જુન કપૂર સહિત ઘણા મોટા સેલેબ્સ તેનાથી સંક્રમિત થયા છે. કોરોનાનો આ ચેપ અમિતાભ બચ્ચનના ઘરે પહોંચી ગયો છે. પોતાના લેટેસ્ટ બ્લોગમાં તેમણે ઘરે બેઠા કોરોના સામે લડવા વિશે માહિતી આપી છે. પરંતુ આ કોરોના કોને લાગ્યો છે, તેનો તેમણે ખુલાસો કર્યો નથી.

આ અગાઉ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જ જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘર પર જ કોવિડ-19 સંબંધિત સ્થિતિના પડકારનો સામનો કરી રહ્યા છે અને પોતાના પ્રશંસકો સાથે થોડા સમય બાદ જોડાશે. બીએમસી અધિકારીએ જણાવ્યું કે નિયમિત તપાસ દરમિયાન બચ્ચનના બંગલા પ્રતિક્ષા અને જલસાના 31 કર્મચારીઓમાંથી એક કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યો છે.

Next Story