Connect Gujarat
મનોરંજન 

શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના મ્યુઝિક વીડિયોનું નવું પોસ્ટર થયું રિલીઝ, 'અધૂરું' નામ આપવાથી ચાહકો થયા ગુસ્સે

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ જે બિગ બોસ 13 થી દરેકની મનપસંદ જોડી બની હતી, તે અધૂરી રહી. 2 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ શુક્લનું અચાનક નિધન થયું.

શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના મ્યુઝિક વીડિયોનું નવું પોસ્ટર થયું રિલીઝ, અધૂરું નામ આપવાથી ચાહકો થયા ગુસ્સે
X

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ જે બિગ બોસ 13 થી દરેકની મનપસંદ જોડી બાની હતી, તે અધૂરી રહી. 2 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ શુક્લનું અચાનક નિધન થયું. જે બાદ તેના ચાહકો અને તેની નજીકના તમામ લોકો તૂટી ગયા હતા. હાલમાં, શહનાઝ ગિલની પહેલી ફિલ્મ 'હૌસલા રખ' રિલીઝ થઈ છે. જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તે દરમિયાન સિદ્ધાર્થના મૃત્યુ પહેલા સિડનાઝનું એક ગીત શૂટ થયું હતું. જેનું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ આ પોસ્ટર જોઈને સિડનાઝના ચાહકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

હાલમાં જ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલના ગીત 'અધુરા' નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક 'અધુરા' છે, જેની ટેગલાઇન 'એક અધૂરું ગીત એક અધુરી કહાની' લખેલી છે. સારેગામા મ્યુઝિકના ઇન્સ્ટાગ્રામ પેજ પર મ્યુઝિક વીડિયોની પોસ્ટ શેર કરવામાં આવી છે. જેની સાથે કહેવામાં આવ્યું છે કે આ વીડિયો 21 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CVFn-4ErSeF/?utm_source=ig_embed&ig_rid=d968358c-d047-4fb5-ac79-7dddc5a8e43d

આ મ્યુઝિક વીડિયોને અગાઉ 'હેબિટ' નામ આપવામાં આવ્યું હતું. જે સિદ્ધાર્થ અને શહનાઝ પર ફિલ્માવવામાં આવી છે. પરંતુ સિદ્ધાર્થના મૃત્યુ બાદ આ મ્યુઝિક વીડિયોનું નામ 'અધુરા' રાખવામાં આવ્યું છે. જેના પર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહે છે કે સિદ્ધાર્થ અને શહનાઝ કાયમ માટે એક છે અને તેમનો સંબંધ અધૂરો રહ્યો નથી. આવી સ્થિતિમાં મ્યુઝિક વીડિયોનું નામ ફરીથી 'હેબિટ' રાખવું જોઈએ. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

સિદ્ધાર્થ શુક્લનું 2 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. સિદ્ધાર્થનું 40 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. સિદ્ધાર્થના મૃત્યુ બાદ શહેનાઝ ગિલ પણ સંપૂર્ણપણે તૂટી ગઇ હતી. તે પછી પણ તે દેખાય ણ હતી. પરંતુ હાલમાં જ શહેનાઝની ફિલ્મ 'હૌસલા રખ' રિલીઝ થઈ છે. ફિલ્મની રિલીઝ પહેલા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિદ્ધાર્થના મૃત્યુ બાદ પ્રથમ વખત શહનાઝ હાજર રહી હતી. જે જોઈને તેના ચાહકોએ તેને ખૂબ પસંદ કર્યું. શહનાઝને આ સમયે લોકોનો સારો ટેકો મળી રહ્યો છે.

Next Story