અમરેલી: જાફરાબાદમાં સિંહણે કર્યો બાળકીનો શિકાર, સિંહણને પાંજરે પુરાય !

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.

New Update

અમરેલીના જાફરાબાદનો બનાવ , સિંહણે કર્યો 7 વર્ષીય બાળકીનો શિકાર 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાળકીના અવશેષો મળી આવ્યા છે.સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું.અને સિંહણનું લોકેશન મેળવીને ભારે જહેમત બાદ સિંહણને પાંજરે પુરી હતી.

સૌરાષ્ટ્ર પંથકનો જંગલ વિસ્તાર સિંહોનું ઘર કહેવાય છે. અહીં સિંહ અવારનવાર જોવા મળે છે. ઘણીવાર જંગલ વિસ્તારમાંથી ભટકી જતાં શિકાર અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે. ત્યારે અમરેલી-જાફરાબાદ તાલુકાના  ખાલસા કંથારીયા ગામ નજીક એક સિંહણ અચાનક આવી ચઢી હતી.અને સિંહણે વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી હતી.

ખાલસા કંથારીયા ગામની મહિલા પોતાની વર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકીગ્રામજનોવન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શોધખોળ આદરી હતી.આખરે શોધખોળ દરમિયાન બાળકીના પગ મળી આવ્યા હતા.

આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છેતેમજ સ્થાનિક રહીશોમાં વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાને લઇને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.જોકે વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂર્વ માટે તેનું લોકેશન શોધવાની કવાયત શરૂ કરી હતી,અને ભારે જહેમતબાદ સિંહણને પાંજરે પૂર્વમાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણીઓના મનુષ્યો પર વધી રહેલા હુમલાને પગલે સ્થાનિક લોકોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.