અમરેલી: જાફરાબાદમાં સિંહણે કર્યો બાળકીનો શિકાર, સિંહણને પાંજરે પુરાય !

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.

New Update

અમરેલીના જાફરાબાદનો બનાવ , સિંહણે કર્યો 7 વર્ષીય બાળકીનો શિકાર 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણેવર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાળકીના અવશેષો મળી આવ્યા છે.સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું.અને સિંહણનું લોકેશન મેળવીને ભારે જહેમત બાદ સિંહણને પાંજરે પુરી હતી.

સૌરાષ્ટ્ર પંથકનો જંગલ વિસ્તાર સિંહોનું ઘર કહેવાય છે. અહીં સિંહ અવારનવાર જોવા મળે છે. ઘણીવાર જંગલ વિસ્તારમાંથી ભટકી જતાં શિકાર અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે. ત્યારે અમરેલી-જાફરાબાદ તાલુકાનાખાલસા કંથારીયા ગામ નજીક એક સિંહણ અચાનક આવી ચઢી હતી.અને સિંહણે વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી હતી.

ખાલસા કંથારીયા ગામની મહિલા પોતાનીવર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકીગ્રામજનોવન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શોધખોળ આદરી હતી.આખરે શોધખોળ દરમિયાન બાળકીના પગ મળી આવ્યા હતા.

આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છેતેમજ સ્થાનિક રહીશોમાં વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાને લઇને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.જોકે વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂર્વ માટે તેનું લોકેશન શોધવાની કવાયત શરૂ કરી હતી,અને ભારે જહેમતબાદ સિંહણને પાંજરે પૂર્વમાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણીઓના મનુષ્યો પર વધી રહેલા હુમલાને પગલે સ્થાનિક લોકોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

સુરત : સલામત સવારીનું વચન આપતી એસટી બસના ચાલકે સર્જ્યો અકસ્માત,ચારથી વધુ બાઇકને લીધી અડફેટમાં,ચાર લોકો ઈજાગ્રસ્ત

સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..

New Update

સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસે સર્જ્યો અકસ્માત

અકસ્માતમાં ચાર જેટલા લોકોને પહોંચી ઇજા

ચારથી વધુ બાઈકનો વળ્યો કચ્ચરઘાણ

બસ ચાલક ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો

બસ ચાલકે બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું કર્યું રટણ

સુરતમાં સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસના ચાલકે બસને ગફલત ભરી રીતે હંકારીને અકસ્માત સર્જ્યો હતો.અને ચારથી વધુ બાઇકને અડફેટમાં લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામની સાથે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ નીચેના માર્ગ પરથી એક એસટી બસ પસાર થઇ રહી હતી,જોકે બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અકસ્માત સર્જીને બસ ચાલક ભાગવા જતા સ્થાનિક લોકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો,બસ ચાલકે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું રટણ કર્યું હતું,જ્યારે ભોગ બનનાર ઇજાગ્રસ્તોએ બસની સ્પીડ વધુ હોવાનો આક્ષેપ કર્યો હતો.પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

Latest Stories