ભરૂચ: દહેજની વેલ્સપુન કંપનીના કામદારોની બદલી કરાતા આંદોલનના એંધાણ

દહેજ પંથક માં આવેલ વેલ્સપુન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે.કામદારોનો આક્રોશ જોતા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

New Update

દહેજ પંથક માં આવેલ વેલ્સપુન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે.કામદારોનો આક્રોશ જોતા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Advertisment

દહેજના જોલવા સ્થિત વેલ્સપુન કંપનીના મોટા ભાગના કામદારોને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેતા કામદારોની સ્થિતિ "જાયે તો જાયે કહાં" જેવી બની છે.ત્યારે ૪૦૦થી વધુ કર્મચારીઓ વેલ્સપુન કંપનીના ગેટ પર એકત્ર થયા હતા.તેઓની રોજીરોટીનો પ્રશ્ન સર્જાતા ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔધીયોગિક કામદાર સંઘ બંનેએ ભેગા મળી કંપની સામે લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે . આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવતા કર્મચારીઓ ગીન્નાયા હતા અને કંપનીના કાયમી કામદારોને છૂટા કરી કોન્ટ્રાકટ સિસ્ટમ લાવવા નું ષડ્યંત્ર રચાયુ હોવાનો પણ યુનિયનોએ આક્ષેપ કર્યો હતો.કોરોના ની પ્રથમ લહેર માં કંપની એ ૧૦૦% હાજરી માંગીને કામ લીધુ હતુ અને અત્યારે કોરોનાની ગતિ મંદ પડી છે ત્યારે વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવીએ વાત કામદારોને અસમંજસમાં મૂકી દીધા છે અને એઓના હકની માંગ કરી રહ્યા છે

Advertisment
Read the Next Article

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

Advertisment

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

 જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

 

 

Advertisment
Latest Stories