New Update
/connect-gujarat/media/media_files/2025/06/14/lzycOykoiTV2BzqgbhWT.jpg)
ભરૂચના તુલસીધામ ત્રણ રસ્તાથી જ્યોતિનગર તરફ ફરિયાદી પુષ્પાબહેન રાઠોડ ગઈ તારીખ 19/05/2025ના રોજ ચાલતા જઈ રહ્યા હતા એ દરમ્યાન જ્યોતિનગર તરફથી સફેદ અને ભુરા કલરની મોપેડ પર બે અજાણ્યા ઈસમોએ આવી મોપેડની પાછળ બેસેલ ઈસમે તેમના ગળામાંથી સોનાનું પેન્ડલ સહીતની ચેઈન તોડીને ફરાર થઇ ગયા હતા આ મામલામાં સી ડિવિઝન પોલીસે ફરાર આરોપી મોહસીન અંસારીની વડોદરા ખાતેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી ચોરી અને ચેઇન સ્નેચિંગના 13 ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે.