ભરૂચ : જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા 27 નિર્દોષોને કોંગ્રેસ અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...

જમ્મુ-કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોના મોતના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધો છે. આ દુઃખદ ઘટનાના પગલે ભરૂચ જિલ્લામાં પણ શોકની લાગણી વ્યાપી છે.

New Update

જમ્મુ-કાશ્મીરમાં થયેલ ઘાતકી આતંકવાદી હુમલાનો મામલો

આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યા

27 નિર્દોષોના મોતના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવ્યો

દુઃખદ ઘટનાના પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ આતંકી હુમલાની નિંદા કરી

જમ્મુ-કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોના મોતના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધો છે. આ દુઃખદ ઘટનાના પગલે ભરૂચ જિલ્લામાં પણ શોકની લાગણી વ્યાપી છે. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાશહેર પ્રમુખ હરેશ પરમારપૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સેયદનાઝુ ફડવાલાશેરખાન પઠાણશકીલ અકુજી સહિતના અગ્રણીઓકાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુઃખદ પ્રસંગે લોકોએ આતંકવાદના ઘટનાક્રમો પર ઘેરા શોક વ્યક્ત કરી શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

તો બીજી તરફભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં પણ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના આગેવાનોએ જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તમામ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે બેનર અને પ્લે-કાર્ડ લઈ લોકો જોડાયા હતા. આ સાથે જ આતંકી હુમલાની સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજે નિંદા કરી આતંકીઓને ફાંસી આપવાની માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.