ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ

ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • ઝઘડિયાના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાયો

  • જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ

  • ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા થનાર છે જમીન સંપાદન

  • ખેડૂતો જમીન વિહોણા થઈ જશે એવો આરોપ

ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પંડાલય અને મોરણના ખેડૂતોએ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજરોજ ભરૂચ કલેકટરને રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવી આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ પડાળ, ડમલાય અને મોરણ ગામના વિસ્તારની ખેતીની જમીન ગુજરાત ખાણ ખનીજ વિભાગ નિગમ દ્વારા જમીન સંપાદન કરી કોલસા માટે ખોદકામ થનાર હોવાનું જાહેરનામું પાડવામાં આવ્યું છે.
આ બાબતે ગુજરાત ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈપણ ગ્રામસભામાં ઠરાવ સહિત ખેડૂતોને જાણ કર્યા વગર જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જેનો ખેડૂતો અને ગ્રામજનોએ સખત વિરોધ કરીએ છે. જો આવું કરવામાં આવશે તો આવનારા સમયમાં હજારો ખેડૂતોએ જમીન વિહોણા થઈ જવું પડશે જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોના બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ જશે.આ જમીન સંપાદન તાત્કાલિક અટકાવી આદિવાસીઓનું જીવન બચાવવા માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.