અંકલેશ્વરમાં ગઠિયાઓ પોલીસની ઓળખ આપી મહિલા પાસે સોનાના ઘરેણા પડાવી ફરાર

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા.

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

  • મહિલા સાથે છેતરપિંડી

  • પોલીસ હોવાનું જણાવી મહિલા પાસેથી ઘરેણા પડાવાયા

  • ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા હર્ષાબેન પરેશભાઈ શાહ આજરોજ સવારના અરસામાં તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમ્યાન માનવ મંદિર નજીક બાઈક સવાર 2 ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી કહ્યું હતું કે આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં, મોટા સાહેબ જોશે તો ખીજવાશે આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમ્યાન બન્ને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જો કે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો.
મહિલા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેઓએ બુમાબુમ કરી હતી આથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.આ અંગેની જાણ થતાની સાથે જ જીઆઇડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાનું નિવેદન લઇ બન્ને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.