ભાવનગર : કોંગ્રેસ દ્વારા "શિક્ષણ બચાવો અભિયાન" કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવાયો

New Update

ભાજપ દ્વારા રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભાવનગર ખાતે કોંગ્રેસે મોંઘા થતા શિક્ષણને લઈને શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ યોજ્યો હતો.

Advertisment

ગુજરાતની રૂપાણી સરકારના નેતૃત્વ હેઠળ 5 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હાલના સમયમાં સરકારી શાળાઓના શિક્ષણ નબળા અને શિક્ષણ મોંઘા થાય તે મુદ્દે શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, કોરોના કાળમાં પણ પ્રાઇવેટ સ્કૂલ-કોલેજોએ ફી માફ કરી નહિ, અને સરકારે પણ કોઈ પગલાં લીધા નહિ. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ છોડવું પડ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સરકાર પોતાની વાહવાહી કરવા માટે ઉજવણી કરી રહી છે. શિક્ષિત બેરોજગારીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે બેરોજગારોને રોજગારી આપવાના બદલે સરકાર જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરી રહી છે.

ભાવનગર શહેર જીલ્લા-કોંગ્રેસ સમિતીના કાર્યકરો સરકારના વિવિધ કાર્યક્રમનો વિરોધ કરતા નથી. પરંતુ લોકોને સાચી વાત અને જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી ક્યારે કરી શકે, જ્યારે યોગ્ય જ્ઞાની લોકોને યોગ્ય સ્થાન મળે, ત્યારે જ સરકાર દ્વારા આ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરી શકાય તેવી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભાવનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ પ્રકાશવાઘાણી, વિપક્ષ નેતા ભરત બુધેલીયા, જીલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડ, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રહલાદસિંહ ગોહીલ સહિત ભાવનગર શહેર જીલ્લા કોંગ્રેસના આગેવાન, કોર્પોરેટર, જીલ્લા-તાલુકાના સદસ્ય, શિક્ષણ સમિતિ સદસ્ય, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ તેમજ મહિલા કોંગ્રેસ અને વિવિધ સેલના આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment
Latest Stories