Connect Gujarat
ગુજરાત

ભાવનગર : દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC/UPSC પરીક્ષા માટે માર્ગદર્શન વેબિનાર યોજાયો

ભાવનગર : દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC/UPSC પરીક્ષા માટે માર્ગદર્શન વેબિનાર યોજાયો
X

ભાવનગર જીલ્લામાં દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC/UPSC પરીક્ષા માટે માર્ગદર્શન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ વ્યક્તિઓ તમામ સરકારી સહાય સરળતાથી મેળવી શકે તેમજ GPSC/UPSC ની પરીક્ષાઓમાં જલવંત કારકિર્દી બનાવી શકે તેવા હેતુસર ગત તા. ૨૦/૦૭/૨૦૨૧ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા રોજગાર કચેરી તથા વિકાસ વર્તુળના સંયુક્ત રીતે ભાવનગર જિલ્લામાં હાલમાં IAS પ્રોબેશનરી તરીકે ફરજ બજાવતા જયંતકિશોર માનકલેના માર્ગદર્શન હેઠળ આ માર્ગદર્શન વેબિનાર યોજાયો હતો.

આ વેબિનાર ઓમલાઇન માધ્યમથી તથા ફેસબુક LIVE દ્વારા કરવામાં આવ્યો હતો. આ વેબિનારમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ સંસ્થાના શિક્ષકો, વાલીઓ, સંચાલકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Next Story
Share it