Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ સગર્ભા માતા તપાસણી કેમ્પ યોજાયો

ભાવનગર : પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ સગર્ભા માતા તપાસણી કેમ્પ યોજાયો
X

ભાવનગર જિલ્લાના સણોસરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટે તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ સણોસરા આસપાસના ૧૪ ગામોની સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી તેમને જરૂરી સલાહ આપી વધુ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની સલાહ માટે રીફર કરવામાં આવી હતી.

સણોસરા ખાતે યોજાયેલ કેમ્પમાં આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા ૧૪ ગામોમાંથી ૬૭ સગર્ભા બહેનોની તપાસણી કરવામાં આવી હતી. દરેક સગર્ભા બહેનોની તપાસ-સલાહ-સારવાર અને જોખમી સગર્ભા માતાને રીફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સગર્ભા બહેનોને દવા તેમજ પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સગર્ભા બહેનો લાવવા-લઇ જવા માટે ખિલખિલાટ કનુભાઈ મોરી તથા લાભુભાઈ આહીરનો સુંદર સહયોગ મળેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રધ્ધા જોષી, પુષ્પા અગ્રાવત, કવિતા પટેલિયા, નેહ ડાભી દ્વારા જહેમત ઉઠાવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.તાવીયાડ, આર.સી.એચ. ડો. પી.વી.રેવર, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશ વાકાણી, તાલુકા સુપરવાઈઝર અનિલ પંડિત, હસુમતી ગોહિલના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો. આશીયા હુનાણી, સુપરવાઇઝર મિતેશ ગોસ્વામી, લીલા પરમાર, લેબ ટેક્નીશીયન કલ્પેશ ડાંગર, ફાર્મા મિતાલી પંડ્યા, આર.બી.એસ.કે. ડો. મહેશ પંડ્યા તથા આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા ૧૪ ગામોમાંથી ૬૭ સગર્ભા બહેનોની તપાસણી કરાઈ અને દરેક સગર્ભા બહેનોની તપાસ-સલાહ-સારવાર અને જોખમી સગર્ભા માતાને રીફર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

Next Story