Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 21225 નવા કેસ નોધાયા,16 દર્દીના થયા મોત

રાજ્યમાં આજે કોરોનાના નવા 21,225 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9,245 દર્દીઓ રિકવર પણ થયા છે.

New Update

રાજ્યમાં આજે કોરોનાના નવા 21,225 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9,245 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.58 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 16 મોત થયા. આજે 2,10,600 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Advertisment

ગુજરાતમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 8627, વડોદરા કોર્પોરેશનમાં 2432, સુરત કોર્પોરેશનમાં 2124, રાજકોટ કોર્પોરેશનમાં 1502, ગાંધીનગર કોર્પોરેશન 612, સુરતમાં 452, ભરુચ 412, વડોદરા 409, ભાવનગર કોર્પોરેશનમાં 404, વલસાડમાં 380,આણંદ 343, જામનગર કોર્પોરેશનમાં 330, મહેસાણા 314, નવસારી 285, રાજકોટ 252, મોરબી 251, પાટણ 216, કચ્છ 206, ગાંધીનગરમાં 203, બનાસકાંઠા 179, અમદાવાદમાં 177, અમરેલી 135, સાબરકાંઠા 112, જામનગરમાં 110,ખેડા 108, સુરેન્દ્રનગર 103, તાપી 76, દાહોદ 69, પોરબંદર 61, જૂનાગઢ કોર્પોરેશન 56, દેવભૂમિ દ્વારકા 55, પંચમહાલ 55, ગીર સોમનાથમાં 37, ભાવનગર 36, નર્મદા 36, અરવલ્લી 18, મહીસાગર 16, જૂનાગઢ 13, બોટાદ 7, છોટા ઉદેપુર 7 અને ડાંગમાં 5 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 116843 કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે, જ્યારે 116671 નાગરિકો સ્ટેબલ છે. 8,95,730 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,215 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 1, ખેડા 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.

Advertisment