Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 228 નવા પોઝિટિવ કેસ નોંધાયા,5 દર્દીઓના મોત થયા

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 228 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે.

Covid-19 : રાજ્યમાં આજે 228 નવા પોઝિટિવ કેસ નોંધાયા,5 દર્દીઓના મોત થયા
X

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 228 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10028 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.98 ટકા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 40, સુરત કોર્પોરેશનમાં 30, રાજકોટ કોર્પોરેસનમાં 18, ગીર સોમનાથ 17, સુરત 14, વડોદરા કોર્પોરેશન 13, જૂનાગઢ 12, સાબરકાંઠા 8, વડોદરા 8, ભરુચ 6, વલસાડ 6, જામનગર કોર્પોરેશન 5, કચ્છ 5, નવસારી 5, પંચમહાલ 5, અમરેલી 4, પાટણ 4, પોરબંદર 4, બનાસકાંઠા 3, ગાંધીનગર 2, ગાંધીનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, રાજકોટ 2, આણંદ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં આજે કુલ પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, ગાંધીનગરમાં 1 અને મહીસાગરમાં 1 મોત સાથે કુલ પાંચ લોકોના મોત થયા છે.

guરાજ્યમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 3,24,615 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,18,71,920 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 6579 કેસ એક્ટિવ છે. જે પૈકી 173 લોકો વેન્ટિલેટર પર છે. 6406 દર્દી સ્ટેબલ છે. 805542 લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.

Next Story