Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : રસાયણ કંપનીના ટાંકામાં ગૂંગળામણથી 5 શ્રમિકોના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી

ખાત્રજની એક કેમિકલ કંપનીમાં 5 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

ગાંધીનગર : રસાયણ કંપનીના ટાંકામાં ગૂંગળામણથી 5 શ્રમિકોના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી
X

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક આવેલા ખાત્રજમાં ગમખ્વાર દુર્ઘટના સર્જાય હતી. ખાત્રજની એક કેમિકલ કંપનીમાં 5 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના કલોલમાં આવેલા ખાત્રજની ટુત્સન ફાર્મા નામની રસાયણ કંપનીની વેસ્ટેજ વોટર ટેંકને સાફ કરવા માટે 5 મજૂર ટેન્કની અંદર ઉતર્યા હતા, ત્યારે ટાંકામાં ગૂંગળામણથી 5 શ્રમિકોના મૃત્યુ થવાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ટેન્કમાં પહેલેથી જ કેમીકલયુક્ત પાણી હતું. જેના પરિણામે શ્રમિકો ગુંગળામણ અનુભવવા લાગ્યા હતા. જોકે, એક શ્રમિક ટાંકામાં ઉતરતા તેને ગુંગળામણ થઇ હતી, અને તેના પરિણામે એક શ્રમિકને બચાવવા અન્ય 4 શ્રમિકો પણ ટાંકામાં ઉતર્યા હતા, ત્યારે પાંચેય શ્રમિકોને ગુંગળામણ થતાં મોત નીપજ્યું હતું.

Next Story