Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : લગ્નજીવનથી કંટાળી પતિએ 2 સંતાનો સાથે લગાવી કેનાલમાં મોતની છલાંગ, અંતિમ વિડીયો પણ બનાવ્યો

પરઢોલ ગામના શ્રમજીવી યુવાને રાયપુર સાયફન નજીક આવેલ નર્મદા કેનાલમાં પોતાના 4 અને 6 વર્ષના 2 બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી.

ગાંધીનગર : લગ્નજીવનથી કંટાળી પતિએ 2 સંતાનો સાથે લગાવી કેનાલમાં મોતની છલાંગ, અંતિમ વિડીયો પણ બનાવ્યો
X

ગાંધીનગરના પરઢોલ ગામના શ્રમજીવી યુવાને લગ્નજીવનથી કંટાળી રાયપુર સાયફન નજીક આવેલ નર્મદા કેનાલમાં પોતાના 4 અને 6 વર્ષના બાળકો સાથે મોતની છલાંગ લગાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના પરઢોલ ગામના શ્રમજીવી યુવાને રાયપુર સાયફન નજીક આવેલ નર્મદા કેનાલમાં પોતાના 4 અને 6 વર્ષના 2 બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી. એટલું જ નહિ, આત્મહત્યા કરતા પહેલા શ્રમજીવી યુવાને કેનાલ પર ઊભા રહીને મોબાઈલ કેમરામાં એક વીડિઓ પણ બનાવ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, "મારા છોકરાની મમ્મીને દિલ નથી અને એણે મને કીધુ કે તારે જે કરવું હોય એ કર હું મજાથી જીવુ છું. એણે મને છેલ્લો જવાબ આપ્યો કે, તુ મરે તોય મારે શું.?", જે વીડિયો હાલમાં ખૂબ વાયરલ થયો છે, ત્યારે લગ્નજીવનથી કંટાળી યુવાને બન્ને બાળકો સાથે સમૂહ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે આસપાસના ગ્રામજનો સહિતના પરિવારજનો કેનાલ તરફ દોડી આવ્યા હતા, જ્યાં કેનાલમાં પિતા અને બન્ને પુત્રોની શોધખોળ આરંભી હતી. ગતરોજ નર્મદા કેનાલમાંથી નાના પુત્ર આરવનો મૃતદેહ મળી આવ્યા બાદ આજે બીજા પુત્ર ઋષભ અને પિતાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે પિતા અને બન્ને પુત્રોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story