રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી; જામનગરમાં મેરેથોન દોડ તો ભાવનગરમાં સાયકલ મેરેથોનનું આયોજન
રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઠેર ઠેર ઉજવણી, યુવા ભાજપ દ્વારા સાયકલ મેરેથોનનું કરાયું આયોજન.
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે "આઝાદીનો અમૃત મહોત્સવ" શીર્ષક હેઠળ ભાજપ યુવા મોરચા દ્વારા ભાવનગર ખાતે સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જયારે જામનગરમાં પણ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી આઝાદીના 75 વર્ષની ઊજવણી કરવામાં આવી રહી છે. જેમાં "આઝાદીનો અમૃત મહોત્સવ" શીર્ષક હેઠળ પુરા વર્ષ દરમ્યાન ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આજે ભાવનગર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રૂપાણી સર્કલ ખાતે યુવા સંકલ્પ યાત્રા અંતર્ગત સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ જેટલા બાળકો, યુવા, યુવતીઓએ ભાગ લીધો હતો. આજના યુવાઓને ફિટ એન્ડ ફાઇન રહેવાના મંત્રને ચરિતાર્થ કરવા યોજાયેલી સાયકલ મેરેથોનને ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા અને તેની ટીમે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રૂપાણી સર્કલથી નિયત માર્ગ પર સાયકલવીરો એ મેરેથોન પૂર્ણ કરી પરત રૂપાણી સર્કલ પરત ફર્યા હતા જ્યાં તમામ ભાગ લેનાર સાયકલવીરો ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
તો આ તરફ જામનગરમાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા આજે વહેલી સવારે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાધને ભાગ લીધો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઝંડી આપી આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. મેરેથોન દોડમાં પુરુષ, મહિલા અને બાળકો એમ ત્રણ વિભાગમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા સહિત ભાજપના કોર્પોરેટરો કાર્યકર્તાઓ અને દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT