પાલનપુર ક્લાર્ક બનવું હોય તો '16 લાખનુ સેટિંગ કરવું પડશે' એસીબીએ બે લાંચિયા કર્મચારીને ઝડપી પાડ્યા

રાજ્યના બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવા રાત દિવસ એક કરે છે તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ સરકારી નોકરી અપાવવા માટે લાખોના લાખો ખંખેરતા અટકતા નથી.

New Update

રાજ્યના બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવા રાત દિવસ એક કરે છે તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ સરકારી નોકરી અપાવવા માટે લાખોના લાખો ખંખેરતા અટકતા નથી. જો કે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આવા લાંચિયા સરકારી બાબુ સામે લાલ આંખ કરવામાં આવી છે. બનાસકાંઠાના દાંતાની એક શાળામાં આચાર્ય અને પ્યૂનને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.

બનાસકાંઠાના પાલનપુરમાં ક્લાર્કની નોકરી અપાવવા માટે રૂ.16 લાખની લાંચ માંગતા બે સરકારી બાબુ ઝડપાઈ એસીબીને બાતમી મળી હતી કે દાતા સ્કૂલમાં કલાર્ક ની નોકરી માટે લાંચ માંગવામાં આવે છે આ બાતમીના આધારે એસીબીએ છટકું ગોઠવીને આચાર્ય શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા અને પ્યૂન નરેશ જોષીને રંગેહાથ ઝડપ્યા છે. દાંતાની ભવાની સિંગ વિદ્યાલયમાં આ ઘટના બની. એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બંને આરોપીઓ રૂપિયા 16 લાખની માંગણી કરી હતી અને રૂપિયા 16 લાખ સ્વીકારી પણ લીધા હતા. મહત્વ ની વાત તો એ છે કે આ લાંચની રકમ સરકીટ હાઉસ પાલનપુર માં લેવામાં આવી હતી. વિગત વાર વાત કરીએ તો આ કામના ફરીયાદીના દીકરા ને કલાર્ક તરીકે નોકરી આપવાના બહાને આ કામના આરોપી નંબર એક શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા એ ફરિયાદી પાસે રૂપિયા 16,00,000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા. જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

Read the Next Article

પંચમહાલ : પાનમ ડેમમાં પાણીની આવક થતા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા કિનારાના ગામોને કરાયા એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

New Update
  • પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો 

  • પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો

  • ડેમનો એક ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યો

  • પાનમ નદીમાં 1275 ક્યુસેક પાણી છોડાયું

  • નદી કિનારના દસ ઉપરાંત ગામો એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઇ છે.તેમજ ઉપરવાસમાંથી પણ પાનમ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ વિભાગ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમનો એક ગેટ આખો ખોલી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.અને રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે હાલમાં પાનમ ડેમમાં 3850 ક્યુસેક પાણી છે. ડેમમાંથી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.જ્યારે બીજ તરફ પાનમ નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારે વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.