રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 પોઝિટિવ કેસ નોંધાયા, 190 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 190 દર્દીઓ સાજા થયા

New Update

ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 190 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.03 ટકાએ પહોંચી ગયો છે.

Advertisment W3.CSS

આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 46 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,018 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો સુરત કોર્પોરેશન 54, અમદાવાદ કોર્પોરેશન 46, વડોદરા કોર્પોરેશન 16, રાજકોટ 9, રાજકોટ કોર્પોરેશન 8, સુરત 8, વલસાડ 8, બનાસકાંઠા 7, વડોદરા 7, ભરૂચ 6, પોરબંદર 6, નવસારી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, મહેસાણા 3, અમદાવાદ 2, આણંદ 2, દેવભૂમિ દ્વારકા 2, ખેડા 2, કચ્છ 2, પંચમહાલ 2, ભાવનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, તાપી 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1377 એક્ટીવ કેસ છે જે પૈકી 5 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1372 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,59,591 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,018 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,90,669 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,47,95,887 લોકોનું રસીકરણ થયું છે.