Connect Gujarat
ગુજરાત

જામનગર: 60 આંગણવાડી કાર્યકર તેમજ 53 તેડાગર બહેનોને નિમણુંક પત્રો એનાયત કરાયા

જામનગર જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને નિમણુંક પત્રો એનાયત

જામનગર: 60 આંગણવાડી કાર્યકર તેમજ 53 તેડાગર બહેનોને નિમણુંક પત્રો એનાયત કરાયા
X

જામનગર જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને નિમણુંક પત્રો એનાયત કરવાનું તથા જિલ્લા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી અતિ કુપોષિત બાળકો માટે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 60 આંગણવાડી કાર્યકર તેમજ 53 તેડાગર બહેનોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાની 888 જેટલી આંગણવાડીના માધ્યમથી આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો નવજાત શિશુઓ, સગર્ભાઓ તેમજ ધાત્રી માતાઓની આરોગ્ય વિષયક કાળજી લઇ છેવાડાના તેમજ કુપોષિત બાળકો માટે માતાની ભૂમિકા અદા કરી રહી છે. કોરોના કાળમાં પણ જીવને હથેળીમાં લઇ આ બહેનોએ દર્દી નારાયણની સેવા કરી કર્તવ્ય નિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવજાત શિશુઓ સશક્ત બને તેમજ સમાજ કુપોષણમુક્ત બને તે માટે સરકારે જિલ્લા અને બાલ કલ્યાણ વિભાગની રચના કરી કુપોષણમુક્ત ભારતની દિશામાં નક્કર પગલાં ભર્યા છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખધરમશીભાઈ ચનીયારા, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, કારોબારી સમિતિના ચેરમેનભરતભાઈ બોરસદીયા, મહિલા અને બાલ કલ્યાણ સમિતિના ચેરમેન હર્ષદીપભાઈ સુતરીયા તેમજ આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story