જામનગર : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ દ્વારા રુદ્રી યજ્ઞ યોજાયો

જામનગર શહેરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિતે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે રુદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 40 જેટલા બહેનોએ સાથે મળીને યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.
જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી શક્તિપીઠની મહિલાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને લોક કલ્યાણ અર્થે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા રુદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ માટીમાંથી નાના શિવલિંગ બનાવી તેનું પૂજન અર્ચન કરી રુદ્રી યજ્ઞ કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં લખ્યું છે કે, રુદ્રી કરવાથી માણસને મનવાંછિત ફળ મળે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે કૌરવો અને પાંડવોનું યુધ્ધ થવાનું હતું, ત્યારે શ્રી ક્રુષ્ણ ભગવાને પાંડવોને લઘુ રુદ્રી કરવાનું કહ્યું હતું. પાંડવોને ભગવાન શિવ તરફથી યુધ્ધ જીતવા આયુધ્ધ શસ્ત્રો મળ્યા હતા. જેથી શ્રાવણ માસ દરમ્યાન ગાયત્રી શક્તિપીઠ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રુદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલી મહિલાઓએ સાથે મળીને રુદ્રી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
સુરત : કોલેજની પરીક્ષામાં ચોરી કરનાર ૩૦૦ વિદ્યાર્થીઓને મળી સજા,જાણો...
26 May 2022 10:46 AM GMTવડોદરા : 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ફ્રાન્સમાં વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2...
26 May 2022 10:17 AM GMTઅંકલેશ્વર: પિરામણના હવામહલ નજીક પાણીનો બગાડ ! મુખ્યમાર્ગ પર પાણી ભરાય...
26 May 2022 10:11 AM GMTભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની સાધારણ સભા મળી, 15 ટકા ડિવિડન્ડની જાહેરાત
26 May 2022 8:56 AM GMTઅમદાવાદ યુએન મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ,જાણો સમગ્ર મામલો
26 May 2022 8:51 AM GMT