કિશન ભરવાડ હત્યા કેસ: દિલ્હી ઝડપાયેલા મૌલાના કમર ગની ઉસ્માનીનું પાકિસ્તાની કનેકશન સામે આવ્યું
કિશન ભરવાડ હત્યા કેસમાં અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીથી જે મૌલાના કમર ગની ઉસ્માની ની ધરપકડ કરવામાં આવી છે
કિશન ભરવાડ હત્યા કેસમાં અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીથી જે મૌલાના કમર ગની ઉસ્માની ની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને અનેક નવી બાબતો સામે આવી છે. કમર ગની દાવત-એ- ઈસ્લામી સંગઠનની સંડોવણીનો ખુલી છે કમર ગની ઉસ્માની આ સંગઠન સાથે જોડાયેલો છે.જેનું હેડક્વાર્ટર કરાચીમાં આવેલું છે.દાવત-એ-ઈસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.જેની આડ માં યુવાનોનું બ્રેઈન વોશ કરીને હિંસક બનાવવામાં આવે છે.
6 મહિનાથી કમર ગનીએ ગુજરાતના અલગ અલગ શહેરની મુલાકાત લીધી હતી. જેમાં ભારત વિરોધી એજન્ડા પર કામ કરી રહ્યો હતો. ત્રિપુરામાં થયેલી હિંસામાં પણ મૌલાના કમર ગનીની સંડોવણી ખુલી છે. મૌલાના કમર ગનીની UAPA ના કાયદા હેઠળ ધરપકડ પણ થઈ હતી. ત્યારે કમર ગની ઉસ્માની ને લઈને અનેક નવા ખુલાસા સામે આવે છે. ત્યારે ATS કમલેશ તિવારી હત્યા કેસમાં પણ મૌલાનાની પૂછપરછ કરી શકે છે. મૌલાના કમર ગની પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે પણ સંપર્કમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે.