નર્મદા : ભરઉનાળામાં પણ રાજ્યના અન્ય ડેમ કરતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી વધુ…

ગુજરાતના દરવાજે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે, ત્યારે ઉનાળામાં પણ ભારે ગરમી વચ્ચે પણ સરદાર સરોવર ડેમ રાહતના સમાચાર આપતો રહ્યો છે.

New Update

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલ 123.30 મીટરથી વધુ નોંધાય છેત્યારે ભરઉનાળે 42 દિવસમાં જ સરદાર સરોવરના લાઇવ સ્ટોરેજમાં 68 હજાર કરોડ લિટર પાણીનો વધારો થવા પામ્યો છે.

ગુજરાતના દરવાજે ચોમાસું દસ્તક દઈ રહ્યું છેત્યારે ઉનાળામાં પણ ભારે ગરમી વચ્ચે પણ સરદાર સરોવર ડેમ રાહતના સમાચાર આપતો રહ્યો છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના જણાવ્યા અનુસારહાલમાં સરદાર સરોવર ડેમમાં જળસપાટી 123.30 મીટરથી વધારે છેઅને પાણીનું લાઇવ સ્ટોરેજ 1,816 એમસીએમ એટલે કે1.81 લાખ કરોડ લિટર છે. અંદાજ મુજબઆ પાણીનો જથ્થો રાજ્યની વસતીની પીવાના પાણીની જરૂરિયાત 6 મહિના સુધી નિભાવી શકે છે. જોકેભરઉનાળે ગરમીમાં આનંદ આપતા સમાચાર એ હતા કેસરદાર સરોવરમાં પાણીની આવક ચાલું રહી છે. માત્ર 42 દિવસમાં જ સરદાર સરોવર નર્મદા ડેમના લાઇવ સ્ટોરેજમાં અંદાજે 68 હજાર કરોડ લિટર પાણીનો વધારો થયો છે. તો બીજી તરફસરદાર સરોવર સિવાયના રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ જળસંગ્રહ 4,932 મિલિયન ક્યુબિક મીટર નોંધાયો છે. જેની સામે સરદાર સરોવરમાં કુલ સંગ્રહ 5,530 મિલિયન ક્યુબિક મીટર છે. એટલે કેરાજ્યના તમામ ડેમોમાં મળીને જેટલું પાણી છેએનાથી પણ વધારે પાણીનો જથ્થો સરદાર સરોવર નર્મદા ડેમમાં નોંધાયો છે.

Latest Stories