નવસારીના સ્કૂલ વાહનચાલકોએ હવે ફરજિયાત કરવું પડશે RTOના નિયમોનું પાલન.

વાન ચાલકો નું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતે કરા આવ્યું હતું

New Update

વર્ષોથી RTO અને સ્કૂલ વાન ચાલકો દ્વારા આંતરિક સમજૂતી દ્વારા ગાડું ગબડતું હતુંપરંતુ નવસારી RTO દ્વારા સ્કૂલવાન ચાલકોની મીટીંગ કરી નિયમોનું ફરજિયાત પણે પાલન કરવા અંગે તાકીદ કરવામાં આવી છે  જો નિયમ વિરુદ્ધ સ્કૂલ વાહન દોડશે તો દંડાત્મક કાર્યવાહી થશે

વાન ચાલકો નું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતે કરા આવ્યું હતું.સાથે જ નિયમોનું પાલન કરવા જતા વાલીઓ તેમજ વાન ચાલકો ઉપર આર્થિક ભારણ વધશે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્કૂલ વાન ચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું તો પ્રથમ વખત વાહન ડીટેન કરવામાં આવશે જેને કોર્ટમાંથી છોડાવું પડશે જેમાં સ્કૂલ વાનની કિંમત જેટલો જ દંડ કદાચ થઈ શકે બીજી વખત વાહન પકડાયતો તેનું રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવો નિયમ છે.

 જો RTO ના નિયમનું પાલન ફરજિયાત થયા તો વાહન ચાલકો ઉપર વાર્ષિક 40 થી 45 હજારનું ટેકસ તેમજ વીમાનું ભારણ આવે ઉપરાંત એક બાળકના હાલ 1500 રૂપિયા મહિનાના ચાર્જ વાલીઓ પાસે ઉઘરાવાય છે તેની સ્થાને 3000થી વધુ ઉઘરાવવા પડે તેવી સ્થિતિ છે

આ મામલે શું કરી શકાય તેને લઈને છાપરા ગ્રાઉન્ડ ખાતે સ્કૂલ વાન ચાલકો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તંત્ર પાસે પોતાની યોગ્ય રજૂઆત પહોંચે તેને લઈને તેઓ વિચાર કરી રહ્યા છે.

હાલ તો નવસારીના સ્કૂલ વાનચાલકો ની મીટીંગ બોલાવીને RTO ના નિયમ મુજબ વાહન હંકારવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે જો નિયમ વિરુદ્ધ વહન ચાલશે તો દંડાત્મક કાર્યવાહી થશે અથવા તો ડીટેન કરવું પડશે.

 

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.