નવસારીના સ્કૂલ વાહનચાલકોએ હવે ફરજિયાત કરવું પડશે RTOના નિયમોનું પાલન.

વાન ચાલકો નું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતે કરા આવ્યું હતું

New Update

વર્ષોથી RTO અને સ્કૂલ વાન ચાલકો દ્વારા આંતરિક સમજૂતી દ્વારા ગાડું ગબડતું હતુંપરંતુ નવસારી RTO દ્વારા સ્કૂલવાન ચાલકોની મીટીંગ કરી નિયમોનું ફરજિયાત પણે પાલન કરવા અંગે તાકીદ કરવામાં આવી છે  જો નિયમ વિરુદ્ધ સ્કૂલ વાહન દોડશે તો દંડાત્મક કાર્યવાહી થશે

વાન ચાલકો નું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતે કરા આવ્યું હતું.સાથે જ નિયમોનું પાલન કરવા જતા વાલીઓ તેમજ વાન ચાલકો ઉપર આર્થિક ભારણ વધશે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્કૂલ વાન ચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું તો પ્રથમ વખત વાહન ડીટેન કરવામાં આવશે જેને કોર્ટમાંથી છોડાવું પડશે જેમાં સ્કૂલ વાનની કિંમત જેટલો જ દંડ કદાચ થઈ શકે બીજી વખત વાહન પકડાયતો તેનું રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવો નિયમ છે.

 જો RTO ના નિયમનું પાલન ફરજિયાત થયા તો વાહન ચાલકો ઉપર વાર્ષિક 40 થી 45 હજારનું ટેકસ તેમજ વીમાનું ભારણ આવે ઉપરાંત એક બાળકના હાલ 1500 રૂપિયા મહિનાના ચાર્જ વાલીઓ પાસે ઉઘરાવાય છે તેની સ્થાને 3000થી વધુ ઉઘરાવવા પડે તેવી સ્થિતિ છે

આ મામલે શું કરી શકાય તેને લઈને છાપરા ગ્રાઉન્ડ ખાતે સ્કૂલ વાન ચાલકો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તંત્ર પાસે પોતાની યોગ્ય રજૂઆત પહોંચે તેને લઈને તેઓ વિચાર કરી રહ્યા છે.

હાલ તો નવસારીના સ્કૂલ વાનચાલકો ની મીટીંગ બોલાવીને RTO ના નિયમ મુજબ વાહન હંકારવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે જો નિયમ વિરુદ્ધ વહન ચાલશે તો દંડાત્મક કાર્યવાહી થશે અથવા તો ડીટેન કરવું પડશે.

 

Latest Stories