નવસારીના સ્કૂલ વાહનચાલકોએ હવે ફરજિયાત કરવું પડશે RTOના નિયમોનું પાલન.

વાન ચાલકો નું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતે કરા આવ્યું હતું

New Update

વર્ષોથીRTO અને સ્કૂલ વાન ચાલકો દ્વારા આંતરિક સમજૂતી દ્વારા ગાડું ગબડતું હતુંપરંતુ નવસારીRTO દ્વારા સ્કૂલવાન ચાલકોની મીટીંગ કરી નિયમોનું ફરજિયાત પણે પાલન કરવા અંગે તાકીદકરવામાં આવી છેજો નિયમ વિરુદ્ધ સ્કૂલ વાહન દોડશે તો દંડાત્મક કાર્યવાહી થશે

વાન ચાલકો નું કહેવું છે કેનિયમોનું પાલન કરવા જઈએ તોઆર્થિકબોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતેકરા આવ્યું હતું.સાથે જ નિયમોનું પાલન કરવા જતા વાલીઓ તેમજ વાન ચાલકો ઉપર આર્થિક ભારણ વધશે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્કૂલ વાન ચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું તો પ્રથમ વખત વાહન ડીટેન કરવામાં આવશે જેને કોર્ટમાંથી છોડાવું પડશે જેમાં સ્કૂલ વાનની કિંમત જેટલો જ દંડ કદાચ થઈ શકે બીજી વખત વાહન પકડાયતો તેનું રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવો નિયમ છે.

જોRTO ના નિયમનું પાલન ફરજિયાત થયા તો વાહન ચાલકો ઉપર વાર્ષિક40 થી45 હજારનું ટેકસ તેમજ વીમાનું ભારણ આવે ઉપરાંત એક બાળકના હાલ1500 રૂપિયા મહિનાના ચાર્જ વાલીઓ પાસે ઉઘરાવાય છે તેની સ્થાને3000થી વધુ ઉઘરાવવા પડે તેવી સ્થિતિ છે

આ મામલે શું કરી શકાય તેને લઈને છાપરા ગ્રાઉન્ડ ખાતે સ્કૂલ વાન ચાલકો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તંત્ર પાસે પોતાની યોગ્ય રજૂઆત પહોંચે તેને લઈને તેઓ વિચાર કરી રહ્યા છે.

હાલ તોનવસારીના સ્કૂલ વાનચાલકો ની મીટીંગ બોલાવીનેRTO ના નિયમ મુજબ વાહન હંકારવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે જો નિયમ વિરુદ્ધ વહન ચાલશે તો દંડાત્મક કાર્યવાહી થશે અથવા તો ડીટેન કરવું પડશે.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.