Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજ ઉમાધામ ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો, ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો હતો.

સાબરકાંઠા : પ્રાંતિજ ઉમાધામ ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો, ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન જીઇબી પાસે આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજની વાડી ઉમાધામમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાજી, શ્રી અંબે માતાજી, શ્રી ગાયત્રી માતાજી, શ્રી ઉમેશ્વર મહાદેવ, શ્રી કષ્ટભંજન હનુમાનજી, શ્રી ભૈરવદાદા તથા શ્રી ગણપતિ દાદાના મંદિરનો ચતુર્થ પાટોત્સવ યોજાયો હતો. મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ, શ્રીફળ હોમ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ચતુર્થ પાટોત્સવ મુખ્ય યજમાન રસિક પટેલ અને રીતેષ અમીનપુર પરિવાર દ્વારા યોજાયો હતો. તો રાત્રી સમયે રાસ-ગરબાનું પણ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજના ભાઇ-બહેનો સહિત આજુબાજુમાં રહેતી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યજ્ઞ દર્શન સાથે પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

Next Story