સાબરકાંઠા : અમદાવાદ-હિંમતનગર હાઇવે પર 2 કિમી સુધી ટ્રાફિક જામ, વાહનચાલકો અટવાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે રોડના કામને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
BY Connect Gujarat26 July 2021 10:11 AM GMT
X
Connect Gujarat26 July 2021 10:11 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે રોડના કામને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ-હિંમતનગર રોડની બન્ને સાઈડમાં 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.
અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે નંબર 8 પર પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલ રોડના ચાલી રહેલ કામને લઈને અમદાવાદ-હિંમતનગરથી આવતા વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. રોડની બન્ને સાઈડમાં 2-2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. તો સાથે જ અડધો ટ્રાફિક પ્રાંતિજના અનવરપુરા થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યા પણ સાંકળો રોડ હોવાથી સામસામે મોટા વાહનો આવી જતા ટ્રાફિક જામ થયો હતો. અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 ઉપર ટ્રાફિક જામ થતા અનેક વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
Next Story