સાબરકાંઠા : અમદાવાદ-હિંમતનગર હાઇવે પર 2 કિમી સુધી ટ્રાફિક જામ, વાહનચાલકો અટવાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે રોડના કામને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે રોડના કામને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ-હિંમતનગર રોડની બન્ને સાઈડમાં 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.

અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે નંબર 8 પર પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલ રોડના ચાલી રહેલ કામને લઈને અમદાવાદ-હિંમતનગરથી આવતા વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. રોડની બન્ને સાઈડમાં 2-2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. તો સાથે જ અડધો ટ્રાફિક પ્રાંતિજના અનવરપુરા થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યા પણ સાંકળો રોડ હોવાથી સામસામે મોટા વાહનો આવી જતા ટ્રાફિક જામ થયો હતો. અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 ઉપર ટ્રાફિક જામ થતા અનેક વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Latest Stories