તાપી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી-કૃષિ પરિસંવાદ યોજાયો
વ્યારા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
BY Connect Gujarat Desk11 Jan 2023 12:36 PM GMT
X
Connect Gujarat Desk11 Jan 2023 12:36 PM GMT
તાપી જિલ્લાના વ્યારા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ખેતીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. વ્યારા સ્થિત ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અને પરિસંવાદ યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના ખેડૂતોને રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રાકૃતિક ખેતી કરવા અન્ય ખેડૂઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત તાપી જિલ્લા કલેકટર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story